11 May 2024
9 :Where did the siblings go?
10 May 2024
8: Again, The Nirbhaya Case?
Kartavya: Duty with Dedication
Chapter-8: Again, The Nirbhaya Case?
Many heinous incidents occur in the society that make our heart tremble just on hearing them. The Nirbhaya incident occurred at New Delhi, had shaken the whole country. Its ramifications had echoed from the streets to the Parliament. The government had understood the graveness of the incident and had made the laws more stringent. However, why do such atrocious incidents keep occurring in society is still in question.
When a person breaks all the boundaries of humanity he takes a form of terrifying monster. The rape incident that had occurred recently in Aravalli was despicable.
Once in a hamlet of Malpur taluka, the entire village was celebrating the Holi festival beamingly. They had come for darshan of the holy fire of Goddess Holika. A couple living on the edge of the village also left their two young daughters sleeping at home and went to have darshan of the Holy fire. People were dancing in trance to the beats of the drumsticks hitting the big drums in unison. But amidst the thunderous sound of the drum, no one could hear the scream of the helpless four-and-a-half-year-old girl.
After When the couple returned home puja of Goddess Holika, their younger daughter was not in the bed. They believed her playing somewhere nearby. They started searching her around but couldn’t trace her out. Now the hearts began trembling. After all, where has their sleeping daughter gone? In a moment a whirlwind of thoughts arose. Where would the daughter be? What condition she would be in? Who would have picked her up?
Nearby people also gathered and started searching the nearby fields with torches and lanterns. A torch light fell on the slope of the farm a short distance from the house and the sight caused a heart-rending scream of everyone who witnessed the scene. A demon of about twenty-four years old was brutally scratching a four-and-a-half-year-old girl to satisfy his lust. As light fell on that monster, he didn’t even wait to put on his clothes, he fled away to save his life.
…and a little girl laid in a pool of blood in agony and agony. All hell broke out on the daughter’s parents. The flames of Goddess Holika lit in the village had died down, but the flames that took shape in the life of the girl here were probably never going to die down.
The shock was unbearable for the girl’s parents. The entire incident was reported to the Malpur police. The victim was admitted to the hospital for treatment.
The district police showed extreme seriousness regarding this melancholic and sensitive case and were determined to find out the culprit and accord him the strictest punishment. Within hours, the police caught the fiend. Criticism was pouring in from all sides for this demonic act.
The police didn’t rest by just arresting the rapist but ensured that he would get seriously punished for his atrocious act. The then L.C.B. PI C.P Vaghela and his team investigated the case on a war footing. Due to lack of evidence, in many cases, the criminals acquitted, but in this case the police were careful not to miss even a slightest detail.
The L.C.B. team after carrying out Panchnama collected the necessary evidence. The clothes that the girl child was wearing at the time of the incident along with clothes of the demonic man were sent to the FSL. The girl child was medically examined. All reports indicated the heinous act of the culprit.
Sanjay Kharat’s efforts to get the case heard quickly in the Special court and the rapist to be punished expeditiously were great and his efforts were successful. The case was tried in a Special court. Public prosecutor D.S. Patel also made a strong pleading in the court and strengthened the case. Finally, every one’s hard work paid off. In just a short span of seven moths the court handed down its verdict and sentenced him by inflicting a rigourous punishment of 20 years to the devil in human form. This was a historic verdict. The efforts of L.C.B. PI C. P. Vaghela, PSI S. K. Desai in bringing the culprit to justice was admirable.
The role of all officers and the Public Prosecutor in the entire case was instrumental in helping the victim’s family to get speedy justice.
Kartavya, a police diary by Mr. Ishwar Prajapati in Gujarati
Issued on 7 May 2024, on
https://ishvarprajapati.blogspot.com/search?updated-max=2024-05-08T21:58:00-07:00&max-results=1&start=1&by-date=false
©️Translated into English by Pallavi Gupta🌷
08 May 2024
Living Legend: શ્રી મોતીભાઈ પટેલ
મહાકાવ્યો કદી મરતા નથી.
Living Legend શ્રી મોતીભાઈ પટેલને મારી શબ્દ શ્રદ્ધાંજલી
દરેક વસ્તુ કે વ્યક્તિનું એક ઉદગમ સ્થાન હોય છે. એક આરંભ બિંદુ દરેકને મળે છે. જેનું પણ અસ્તિત્વ છે એ સજીવ હોય કે નિર્જીવ આ વિશ્વમાં એક નિશ્ચિત સ્થાન પ્રત્યેકને મળેલ છે. હવે એ ઉદગમ સ્થાનને વળગી રહેવું કે એક એક ડગલું આગળ વધતા પોતાના અસ્તિત્વનો વ્યાપ વધારવો એ જે તે વ્યક્તિના દૃઢ મનોબળ, મહત્ત્વકાંક્ષાઓ અને ક્ષમતા ઉપર આધારિત છે. માનવીય ઇતિહાસમાં એવા અનેક પાત્રો જોવા મળ્યા છે કે જેમણે પોતાની સકારાત્મકતા, ઉચ્ચાકાંક્ષા, અસાધારણ સાહસો, શોર્યપૂર્ણ પ્રવાસો, અસીમ સાહસ બળ, પોતાના પ્રભાવશાળી વ્યક્તિત્વ અને ઉમદા મૂલ્યો દ્વારા મહાકાવ્ય બની સદૈવ સમાજને એક ઉત્તમ વ્યક્તિત્વનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
રામ અયોધ્યાની નજીકના કોઈ જંગલમાં સ્થાયી થઈ
શક્યા હોત; કૃષ્ણ કંસ-હનન,
કે જે એમના અવતરણનો મુખ્ય
ઉદ્દેશ્ય હતો, પછી મથુરા કે
વૃંદાવનમાં સ્થાયી થઈ શક્યા હોત; સિદ્ધાર્થ
કપિલવસ્તુ પર શાસન કરી એક સમ્રાટ તરીકેની પ્રતિષ્ઠા મેળવી શક્યા હોત અને ગાંધીજી
સ્વયં બેરિસ્ટર થયા પછી પોતાનું વૈભવશાળી જીવન વિતાવી શક્યા હોત. પરંતુ જો આ
પાત્રો પોતાના ઉદગમ સ્થાનને વળગી રહ્યા હોત, તો ક્યારેય શ્રીરામ કે દ્વારકેશ કે ભગવાન બુદ્ધ
કે મહાત્મા ના બની શક્યા હોત. સમાજ કલ્યાણ અર્થે વધાવેલા તેમના પ્રત્યેક ડગલાએ આ
મહાન પાત્રોને મહાકાવ્ય બનાવી દીધા.
એક એવું જ વિરલ વ્યક્તિત્વ -શ્રી મોતીભાઈ મ.
પટેલ, શિક્ષણના સુચારું સંચાલન
અને સ્થાપન માટેના તેમના અનંત પ્રયાસો દ્વારા એમના જીવનને મહાકાવ્ય સમો વ્યાપ
મળ્યો છે.
અરવલ્લીની ગિરિકંદરાઓની વચ્ચે નાનકડા ગામ
ઈસરીના એક સામાન્ય ખેડૂતપુત્રે ગુજરાતના દરેક ખૂણે પોતાનું નામ ગજવ્યું છે.
પ્રાથમિક શાળાથી અનુસ્નાતક તાલીમી કોલેજો સુધી, રાજસ્થાન બોર્ડરના વાઘપુરથી દ્વારીકા સુધી,
અરવલ્લીથી સુરેન્દ્રનગર
સુધી, આખા ગુજરાતમાં છવાયેલ
કબીરવડ છે. સંપૂર્ણ જીવન શિક્ષણ, શૈક્ષણિક સંસ્થાઓ
અને પ્રવૃત્તિઓ, વહીવટી
જવાબદારીઓમાં વિતાવ્યા ઉપરાંત તેમનું વ્યક્તિત્વ દર્પણની જેમ સ્વચ્છ, નિર્દોષ રહ્યો છે. કેટકેટલી સંસ્થાના
સ્થાપક-ટ્રસ્ટી, કેટકેટલાના
જીવનના ઉદ્ધાર-પ્રોત્સાહક પરિબળ હોવા છતાં સ્વભાવે બાળક જેટલા જ સરળ રહ્યા છે.
રત્તિ જેટલું પણ અહમનો છટકાવ ક્યારેય જોવા મળ્યો નથી. મહાકાવ્ય સમા તેમના જીવનનો એક
ટૂંકો પરિચય મેળવીએ.
ઉદગમ બિંદુ:
અરવલ્લીની ગિરિકંદરાઓના સાનિધ્યમાં મેઘરજ તાલુકાના એક નાનકડા ગામમાં 16-5-1937ના દિવસે શ્રી મનોરભાઈ તથા નાથીબહેનને ત્યાં
શ્રી મોતીભાઇ પટેલનો જન્મ થયો. મહેનતુ ખેડૂત પિતા અને સમૃદ્ધ મોસાળની વારસાઈ વચ્ચે
ખૂબ સુંદર લાડકોડવાળુ અલ્લળ બાળપણ મળ્યું. ગામની સરકારી પ્રાથમિક શાળા કે જ્યાં
સગા સોમાકાકા તે શાળાના આચાર્ય હતા, ઉત્તમ પ્રાથમિક શિક્ષણ ઉપરાંત બાળપણની નિર્દોષ લીલાઓથી ભરપૂર સમૃદ્ધ સમયકાળ
મળ્યો. પ્રાથમિક શિક્ષણ પછી પિતાના આગ્રહથી ખેતી કામમાં જોડાયેલા તરુણવયના મોતીને
તેમના મામાના કેટલાક શબ્દોએ જીવનને એક નવી દિશા આપી."પિતાજીની વારસાઇની થોડી
જમીનમાં ચાર ભાઈઓ પૈકી તારું કુટુંબ શે જીવશે? મોતી, નળીયાની લાઈનની જેમ તારી જીવનની લાઈન પણ સીધી જ રાખજે", મામાની આ શિખામણે
મોતીને જીવનની જવાબદારીઓ માટે સજાગ કર્યો, પછી શરૂ થઈ જીવનમાં સંઘર્ષ યાત્રા.
સંઘર્ષ કાળ:
મામાની શિખામણથી પુરુષાર્થ માટે તત્પર મોતીભાઈ 'સિદ્ધાર્થ' નવલકથાના સિદ્ધાર્થની જેમ ઘર છોડીને નીકળી
પડ્યા, સાથે હતું તો માત્ર એક
બગલથેલો જેમાં બે જોડ કપડાં અને ફકત 20 રૂપિયા. ઈસરીથી મેશ્વો નદી વટાવી શામળાજી પછી પદયાત્રા
કરી હિંમતનગર પહોંચી ગયા. ત્યાં શહેરની એક કરીયાણાની દુકાનમાં નોકરી કરી. પછી
દરજીની દુકાન, ક્યારેક ખેતીમાં
ગુંથાયા. પરંતુ શિક્ષક થવાને ઝંખતું હૈયું તેમને નવાગામના ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા
સુધી લઈ આવ્યું. ત્યાં શિક્ષક તરીકેની નોકરી મળી. બસ, જીવનપથ પર એક નવી દિશાએ શ્રી મોતીભાઈ પટેલને
આહ્વાન આપ્યો.
જીવન યાત્રા:
શિક્ષક તરીકેની પ્રથમ નોકરી મેળવ્યા બાદ તેમની અંદરનો શિક્ષકત્વ સોળે કળાએ
ખીલવા લાગ્યો. પછીથી જીવનકાળ દરમિયાન ઘણી જગ્યાએ શિક્ષક અને તદુપરાંત અધ્યાપક
તરીકેની નોકરી કરી તથા ઘણી શૈક્ષણિક સંસ્થાઓનું સ્થાપન કર્યું.
નવાગામના ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા પછી રાજસ્થાન-ગુજરાતની સરહદે
વાઘપુર-ગોધાવાડા પ્રાથમિક શાળામાં બદલી થઈ. સ્વયં આચાર્ય, શિક્ષક, પ્યુન બધી જવાબદારી તેમના જ કાંધે હતી. પછીના
વર્ષોમાં શ્રી નૃસિંહભાઇએ વલ્લભ વિદ્યાલય-બોચાસણમાં ગયા જ્યાં શ્રી રવિશંકર
મહારાજનું સાનિધ્ય મળ્યું. પછી સર્વોદય યોજનાની આંબાબાર પ્રાથમિક શાળા, ભિલોડા, એમ હાલના સાબરકાંઠા અને અરવલ્લી
જિલ્લાના અનેક પ્રાથમિક શાળાઓમાં શિક્ષક તરીકેની નોકરી કરી.
કાળાંતરે શિક્ષક પછી અધ્યાપક તરીકેની યાત્રા શરૂ થઈ. જેમાં સૌપ્રથમ અમદાવાદની
સી. એન. વિદ્યાલયમાં પીટીસી અને જીબીટીસીના અધ્યાપક તરીકે નિમાયા. તે સમય દરમિયાન
કોલેજથી છુટી દર શની-રવિ મોડાસા કોલેજમાં એમ. એ. ગુજરાતીના વર્ગો પણ ચલાવતાં.
મોડાસામાં જાણીતા બાળ સાહિત્યકાર શ્રી રમણભાઈ સોનીના સંપર્કમાં આવ્યા. શ્રી રમણભાઈ
સોની કે જેમણે 1 થી 100 સુધીની સંખ્યા અંગે સંશોધન કર્યું હતું. વળી
આગળ ચાલીને એ સંશોધનને કશમે એવોર્ડ પણ પ્રાપ્ત થયો, જેમાં મુખ્ય ભૂમિકા શ્રી મોતીભાઇની હતી.
સ્વયં શિલ્પી, શિક્ષણઋષિ:
ડોડીસરાના કાર્યકાળ દરમિયાન ઇસરીથી ભિલોડા સુધી પાંચ માધ્યમિક શાળાઓ શરૂ કરી.
પછી કોઈ અણબનાવે ડોડીસરા છોડવાનું નક્કી કર્યું, ત્યાં તો ખંભાતના બી. એડ. કૉલેજમાં અધ્યાપકની
પદવી રાહ જોઈ બેઠી હતી.
15 જૂન 1970માં ખંભાતની શ્રીમતી બી.સી.જે કોલેજ ઓફ
એજ્યુકેશનમાં હાજર થયા. અનુસ્નાતક શિક્ષક થયા. 'તુલનાત્મક શિક્ષણ'ની નૂતન ધારા શરૂ કરી. શૈક્ષણિક સામયિક 'નૂતન-શિક્ષણ'ના તંત્રી ડૉ. ગુણવત્તા શાહથી મૈત્રી થઈ જેનો
ડંકો શિક્ષણજગતમાં આજે પણ વાગે છે. ઉત્સાહ
અને નિષ્ઠા ભરેલી પ્રવૃત્તિઓ સાથે કેટલાક વર્ષો પસાર થતા હતાં, ત્યાં તો દ્વારકા
બી.એડ.કોલેજ તેમને બોલાવતી હતી.
દ્વારકામાં કારકિર્દીની 15 વર્ષની લાંબી યાત્રા ખેડી. તે લાંબી યાત્રાને શ્રી મોતીભાઈ સોનેરી વર્ષો
તરીકે સંબોધતા હતા . 15 વર્ષના દીર્ઘ
સમયકાળ દરમિયાન ડો. ગુણવંત શાહ સાથે મૈત્રી ગાઢ થઈ. અનેક કાર્યશિબિરો, યોજનાઓ, પ્રવૃત્તિઓ થકી અધ્યાપન ક્ષેત્રે શ્રી
મોતીભાઈની નામના સતત વધતી રહી છે. મોતીભાઈ પટેલ કહેતા, "હું મારા વતનમાં માત્ર 13 વર્ષ રહ્યો છું.
તેને બદલે દ્વારિકામાં 15 વર્ષ રહ્યો. 15 વર્ષમાં મેં વ્યક્તિગત ઘણી સિદ્ધીઓ પ્રાપ્ત
કરી. શૈક્ષણિક, આધ્યાત્મિક અને
સાહિત્યનું સુંદર વાતાવરણ અમે મિત્રોએ સર્જ્યું.”
દ્વારકા પ્રત્યે આટલું મમત્વ છતાં 1988માં દ્વારકા પશ્ચિમ તરફ મૂકીને ઉપડ્યા
સુરેન્દ્રનગર.
શિક્ષણ જગતમાં શ્રી મોતીભાઇ પટેલ નો
એક્કો જમાવનાર આ કાળ ખૂબ જ ફળદ્રુપ સાબિત થયો. માનવમંદિરમાં આવેલી 'મૈત્રી વિદ્યાપીઠ મહિલા બી.એડ કોલેજ'માં આચાર્ય બન્યા. એમની અંદર બેઠેલો આચાર્ય
સોળે કળાએ ખીલી ઉઠ્યો. એમ. એડ. ના વર્ગો શરૂ કર્યાં. બહેનો માટે છાત્રાલય શરૂ કરી.
ઉપરાંત, કોલેજની બહેનો તથા
અધ્યાપકો માટે ખાદીનો ગણવેશ નક્કી કરી ગણવેશ ધરાવતી ગુજરાતની પ્રથમ બી.એડ. કોલેજ
બની. પી.એચ.ડી.ના ગાઈડ બન્યા. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના શિક્ષણ વિભાગના
તત્કાલીન વડા ડૉ. ગુણવંત શાહ સાથે વિચારમેળો શરૂ કર્યો. વિચારમેળાની કુલ 25 સફળ શિબિરોના આયોજન થકી શિક્ષણ સહિત સાહિત્ય
ક્ષેત્રે પણ નામના મેળવી. વિદ્વાન મિત્રો બન્યા. આ શિબિરોમાં શ્રી કેશુભાઈ દેસાઈ,
શ્રી યશવંત શુક્લ,
શ્રી મનુભાઈ પંચોળી 'દર્શક', શ્રી પુરૂષોત્તમ માવલંકર, શ્રી ભદ્રાયુ
વછરાજાની જેવા સર્જકોએ ભાગ લીધો હતો.
ત્યાં તાલીમી શિક્ષણના પાયારૂપ એક
મોટું કાર્ય આરંભ કર્યું અને તે હતું એમ. એડ. ના વર્ગોનું નવું સેન્ટરની શરૂઆત. તે
ઉપરાંત અન્ય અનેક કામગીરી કરતાં રહ્યાં, જેમકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્ટાફ એકેડેમિકમાં તજજ્ઞ સેવાઓ; માધ્યમિક શિક્ષણબોર્ડ શિક્ષણ સમિતિમાં સભ્ય
તરીકે ત્રણ વર્ષની સેવા; પુનઃ સૌરાષ્ટ્ર
યુનિવર્સિટીમાં વહીવટ તથા સિન્ડીકેટ સભ્ય તરીકે; સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણવિભાગના ડીન
તરીકે; અને.... અને.....
અને..... શિક્ષણ અને વહીવટ ક્ષેત્રે અનેકો અનેક કામગીરી કરી, જેને શબ્દોમાં બાંધવું અશક્ય પૂરવાર થાય છે. કહેવાય
છે ને,
આ મહાકાવ્યના ઉમદા મૂલ્યો:
શ્રી મોતીભાઈ મ. પટેલ એક પારસમણિ હતા. તેઓ જે જે સ્થળ જે જે વ્યક્તિના
સંપર્કમાં આવ્યા તે સુવર્ણ બનીને ઝળહળી ઉઠ્યું. જેનું કારણ હતું તેમની સકારાત્મક
વિચારધારા તથા દીર્ઘદૃષ્ટિ. જેના લીધે સમાંજોદ્ધાર
માટે લીધેલા પગલા ખોટા પડ્યા નોહતા. જન્મથી માંડીને મૃત્યુ સુધી સતત કૈંક ને કૈંક
કરવાની તેમની ખેવના તેમને યુવાન રાખતી. Down to Earth વાળું તેમનું વિનમ્ર
વ્યક્તિત્વ નવા અને ઉમદા સંપર્કોથી તેમને સમૃદ્ધ રાખતું. કેટલાક મહાનુભાવોના શબ્દો
એક અનન્ય છવી ઉભી કરે છે.
શ્રી ભરત જોશી તેમને 'હકારાત્મક ઉર્જાનું પાવર હાઉસ'
ડો. દક્ષેશ ઠાકર એમને 'શિક્ષણ પ્રહરી મોતીભાઈ',
મણિલાલ હ.પટેલ 'શિક્ષકોના આદર્શ શિક્ષક મોતીભાઈ',
હરેશ ધોળકિયા તેમને
'પ્રસન્નમૂર્તિ વ્યક્તિત્વ'
કહે છે.
જ્યારે
ડૉ. કેશુભાઈ દેસાઈ 'કૂણા કાળજાનો
માનવી' તરીકે સંબોધે છે.
જયેન્દ્ર ત્રિવેદી કહે છે 'એક રજકણ રત્ન
બનીને શોભે'.
શિષ્યો એમને 'મિત્ર, માર્ગદર્શક અને ગુરુવર' તરીકે સંબોધે છે.
"વ્યક્તિ પોતાના કર્મો થકી જ પૂજાય છે."
સ્વનો વિકાસ અને સાથો સાથ સમાજ માટે કંઈક કરી ગુજરવાના મનસૂબા સાથે કરેલાં
પુરુષાર્થ લોકોના હૃદયમાં ફોરમ બનીને મલકાય છે. શ્રી મોતીભાઈ મ. પટેલનું જીવનકવન
આખા ગુજરાતમાં પણ કંઈક એવી જ સુવાસ પ્રસરાવે છે કે આ મસ્તક આપોઆપ આ શિક્ષણઋષિને
વંદન કરવા નમી જાય છે.
કવિએ સાચું જ કહ્યું છે,
©️પલ્લવી ગુપ્તા 🌷
02 May 2024
મારો સાહિત્યિક પરિચય
મારો સાહિત્યિક પરિચય
નામ : પલ્લવી ફૂલચંદ ગુપ્તા
વ્યવસાય: ભાષા શિક્ષક
અભ્યાસ: એમ. એ., બી. એડ. (English: Language and Literature), પી.એચ.ડી. અભ્યાસ ચાલુ
લેખન : મેં હિંદી, ગુજરાતી તથા અંગ્રેજીમાં કેટલીક ગદ્ય-પદ્ય કૃતિઓમાં મારી કલમ ઊપાડેલ છે. કાવ્ય, ગઝલ ઉપરાંત લઘુકથા, વાર્તા, પુસ્તક સમીક્ષા, નિબંધ, ચિંતન, જીવન દર્શન જેવા વિવિધ સાહિત્ય-સ્વરૂપો પર મારી શબ્દયાત્રા જોડાઈ છે. ભાષાંતર કાર્યમાં પણ પ્રવૃત્ત છું.
મારા બ્લોગ Rachana પર પણ મારી કેટલીક લેખન-કૃતિઓ માણવા મળે છે. લિંક છે: https://pallavigupta83.blogspot.com/?m=1
શાળા કક્ષાએ કરાવેલ innovative language activities અંતર્ગત Classroom Activities ની YouTube channel પણ કાર્યરત છે. લિંક છે:
https://youtube.com/@pallavigupta1918?feature=shared
મારી પ્રતિબદ્ધતા:
સાહિત્યજગતના ઉમદા વૈશ્વિક પ્રારૂપમાં લેખનકાર્ય થકી ભારતીય સાહિત્યને વિશ્વસાહિત્ય ફલક પર વધુ તેજસ્વી બનાવવા પ્રતિબદ્ધ છું.
લેખનકાર્ય :
શૈક્ષણિક, સાહિત્યિક તથા વ્યવસાયિક પ્રવૃત્તિઓ અંતર્ગત મારી ગદ્ય અને પદ્ય રચનાઓ ભારતના અલગ અલગ રાજ્યોથી પ્રસારિત વિવિધ ઉત્કૃષ્ટ સામયિકોમાં સતત પ્રકાશિત થયા કરે છે. જેની વિસ્તૃત વિગત નિમ્નલિખિત છે.
પ્રકાશિત પુસ્તકો:
1. The Global Luminary: Prakash Shah, A Biography, 2025
2. Yugpurush: Narendra Modi, A Professional Biography, 2025
3. लोकनायक: नरेन्द्र मोदी, व्यावसायिक जीवनी, 2025
Phd અંતર્ગત પ્રકાશિત રિસર્ચ પેપર્સ:
◾ The Comparative Study of Language and Cultural Diversity in India with Perspective to NEP 2020, published in Research Matrix 2321 7073, January '24
◾ A feministic study Katherine Mansfield's short story 'Bliss', published in 'Shanti' a Peer Reviewed Journal of Research, ISSN 2278-4381, March '22.
ક્રિયાત્મક સંશોધન:
◾ મિરર ઇફેક્ટ વાળા મૂળાક્ષરોમાં વિદ્યાર્થીઓ દ્વારા થતી ભૂલ અને તેનો ઉકેલ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ઇડર, માર્ચ '23
બાળ સાહિત્ય (વિવિધ સામયિકોમાં પ્રકાશિત):
◾બાળગીત: 'આવ્યો રક્ષાબંધન તહેવાર', ટમટમ તારલીયા, ઓગસ્ટ '21
◾બાળગીત: 'કોયલ બોલે', બાળસૃષ્ટિ, એપ્રિલ-મે '21
◾બાળવાર્તા: 'મારી માતૃભાષા', બાળસૃષ્ટિ, ફેબ્રુઆરી '21
◾બાળવાર્તા : 'રાષ્ટ્રીય પ્રદુષણ નિવારણ દિન', બાળસૃષ્ટિ, ડિસેમ્બર '20
નિબંધ (વિવિધ સામયિકોમાં પ્રકાશિત):
◾ 'अनुपूरक', विश्व गाथा, मार्च '24; प्रेरणा अंशु ‘24
◾ 'કોરોના: એક સંક્રાંતિકાળ' પારિજાત, જુલાઈ '21
◾ 'ગાંધી-એક વૈચારિક ક્રાંતિકારી, જનકલ્યાણ, ઓક્ટોબર '20
લઘુકથાઓ (વિવિધ સામયિકોમાં પ્રકાશિત):
◾ 'તો પછી શીદને...!', સમન્વિત, માર્ચ '24
◾ 'ઉપહાર', વિ-વિદ્યાનગર, ફેબ્રુઆરી '24
◾ 'ભૂખ', નવચેતન, જાન્યુઆરી '24
◾ 'ऊष्मा', प्रेरणा-अंशु, जनवरी '24
◾ 'વળાંક', શબ્દસર, સપ્ટેમ્બર '23
◾ 'થરથરાટ', વ્યથા, વાર્તાસંગ્રહ, જુલાઈ '23
◾ 'ઊર્મિ', નવચેતન, માર્ચ '23
◾ 'એ જ...!' તમન્ના, ફેબ્રુઆરી '23; શબ્દસર, જૂન '22
◾ 'ઊડને બેટા', શબ્દસર, માર્ચ '22
◾ 'અને પછી...' સમણું, માર્ચ '22
◾ 'ડાયરી' વિ-વિદ્યાનગર, ફેબ્રુઆરી '22
◾ 'માંગણ' તમન્ના, ફેબ્રુઆરી '22
◾ 'સિસ્ટર્સ', અખંડાનંદ, જાન્યુઆરી '22
◾ 'સ્વતંત્રતા', નવચેતન, જાન્યુઆરી '22
◾ 'ભીખ', છાલક, ઓક્ટોબર '21
◾ 'કેમ કરીને એ..!' શબ્દસૃષ્ટિ, સપ્ટેમ્બર '21
◾ 'ટકોરો', સમણું, સપ્ટેમ્બર '21
◾ 'અવસર', સમણું, જૂન '21
◾ 'સમણું', સમણું, માર્ચ '21
◾'દિવાલ', નવચેતન, માર્ચ '21
◾ 'ગુલાબ', સ્વરાજ્ય' નવેમ્બર '20
◾ 'પ્રતીક્ષા', ગુજરાત છાયા, જુલાઈ '20
◾'ખુલ્લુ આકાશ', સમણું, જૂન '20
◾ 'તડકો અને છાંયડો', સાહિત્ય-વારસો જૂન '20
ટૂંકી વાર્તા (વિવિધ સામયિકોમાં પ્રકાશિત):
◾'સરપંચની ચૂંટણી', સંજોગ, એપ્રિલ '24
◾'ઊષ્મા', તરફ વાર્તાસંગ્રહ, 2023
પુસ્તક પરિશીલન (વિવિધ સામયિકોમાં પ્રકાશિત):
◾ 'ગાંધી-અંતરમન' લે. ડો. ફુલચંદ ગુપ્તા સમણું સપ્ટેમ્બર '21
◾ 'પ્રિયજન', લે. શ્રી વિનેશ અંતાણી, સમણું જૂન '21
◾ 'કૃષ્ણાયન', લે. શ્રી કાજલ ઓઝા વૈદ્ય, સમણું જૂન '20
◾ 'રેતી, છીપલાં અને મોતી...' લે. શ્રી મોતીભાઈ મ. પટેલ, સમણું જૂન '20
અનુવાદ:
◾ 'New Moon: K. K. Shah, a Biography' Wri. Shri Ishwar Prajapati (Gujarati), December '23
◾ 'The Helping Hands: Prakash Shah, a Biography', Wri. Shri Ishwar Prajapati (Gujarati), July '23
◾ 'स्वतंत्रता', ले. पल्लवी गुप्ता (गुजराती), प्रेरणा अंशु, जून '23
◾ 'કરેલું પાછું આવે છે.', લે. માર્ટીન જ્હૉન (અંગ્રેજી), પરીવેશ, ડિસેમ્બર '22
◾ 'ઓનલાઇન જિંદગી', લે. માર્ટીન જ્હૉન(હિન્દી), પરીવેશ, ડિસેમ્બર '22
◾ 'અંતર અકબંધ છે.', મૂળ લે. માર્ટીન જ્હૉન(હિન્દી), પરીવેશ, ડિસેમ્બર '22
◾ 'शिकार', ले. श्री हरीश महुआकर (गुजराती), Sahityasetu Literary Journal, नवंबर '21
◾'24 कैरेट', ले. श्री हरीश महुआकर (गुजराती), Sahityasetu Literary Journal, अक्टूबर '21
◾ Kartavya: Duty with Dedication, A Police Diary (book under publication) લે. શ્રી ઈશ્વરભાઈ પ્રજાપતિ લિખિત ગુજરાતી પુસ્તકનું અંગ્રેજી ભાષાંતર.
◾ 'Menial to Minister: An Adventurous Odyssey of Dr Kuber Dindor' A Biography (book under publication) લે. શ્રી ઈશ્વરભાઈ પ્રજાપતિ દ્વારા લિખિત ગુજરાતી પુસ્તકનું અંગ્રેજી ભાષાંતર.
◾The Radiant of Gujarat, succinct story of the philanthropist of Gujarat (book under publication) લે. શ્રી ઈશ્વરભાઈ પ્રજાપતિ દ્વારા લિખિત ગુજરાતી પુસ્તકનું અંગ્રેજી ભાષાંતર.
શૈક્ષણિક લેખ:
◾ 'Making English Easier' articles to teach English easily in classrooms, published in Linguazine magazine continuously.
જીવન ચરિત્ર:
◾ 'મહાકાવ્યો કદી મરતા નથી. Living Legends-શ્રી મોતીભાઈ મ. પટેલ, સમણું, માર્ચ '24
◾ 'બહુમુખી વ્યક્તિત્વ-ડૉ. મફતલાલ પટેલ, ગ્રંથવૈભવ, ઓક્ટોબર '22
પદ્ય રચનાઓ:
◾હિન્દી, અંગ્રેજી તથા ગુજરાતીમાં દેશભરની વિવિધ પત્રિકાઓમાં નિયમિત પ્રકાશિત અનેક છાંદસ તથા અછાંદસ કાવ્ય રચનાઓ
એવોર્ડ:
◾'મહિલા શક્તિ કાવ્ય રત્ન, એવોર્ડ', 2024
નેપાલ સરકાર દ્વારા પંજિકૃત 'શબ્દ પ્રતિભા બહુક્ષેત્રીય સન્માન ફાઉન્ડેશન, નેપાલ' દ્વારા આયોજિત 'આંતરરાષ્ટ્રીય મહિલા શક્તિ કવિતા પ્રતિયોગિતા 2024' માં 'कठिन नहीं है।' प्रेरणा-अंशु मार्च '21 માટે પ્રથમ પુરસ્કાર તથા 'મહિલા શક્તિ કાવ્ય રત્ન' એવોર્ડ.
◾'ગૌરવવંતા ગુજરાતની ભલી ગુર્જરી નાર, એવોર્ડ', 2021
અક્ષર મૈત્રી સાહિત્ય વર્તુળ, ગુજરાત તરફથી 2021 માં મહિલા સશક્તિકરણ તથા મહિલા વિકાસની ઉમદા વિચારધારા' વ્યક્ત કરતી ગદ્ય-પદ્ય રચનાઓ માટે '૫૧-શ્રેષ્ઠ કવયિત્રી પુરસ્કાર' તથા 'ગૌરવવંતા ગુજરાતની ભલી ગુર્જરી નાર' એવોર્ડ.
◾ પારિજાત એવોર્ડ 2021
'કેર કોરોનાનો' નિબંધ સ્પર્ધામાં 'કોરોના-એક સંક્રાંતિકાળ' નિબંધ માટે પારિજાત એવોર્ડ 2021નું પાંચમું ઇનામ પ્રાપ્ત થયું છે.
◾ સાહિત્યનો વનવગડો વાર્તા સ્પર્ધા 2021 માં વાર્તા 'થરથરાટ'ને દ્વિતીય ઇનામ પ્રાપ્ત થયું છે.
◾ઉપરાંત 'ન્યૂઝ ઓફ ગાંધીનગર', 'સાહિત્ય વારસો', 'શબ્દ સુરતા' જેવા વિવિધ whatsapp ગ્રુપ દ્વારા વખતોવખત યોજાતી વિવિધ સ્પર્ધાઓમાં મારી ગદ્ય અને પદ્ય રચનાઓ માટે પ્રથમ અને દ્વિતીય સ્થાન પ્રાપ્ત થયું છે.
YouTube channel પર પઠિત રચનાઓની લીંક:
◾आवाज़ अनसुनी द्वारा निबंध अनुपूरक का पठन:
https://ansuniawaaz.com/10-16/
◾વિસ્મય ચેનલ દ્વારા લઘુકથા 'ભૂખ' નું પઠન:
https://youtu.be/rgJktNM02Cg?si=-nEOt6QqOusxziu5
◾ વિસ્મય ચેનલ દ્વારા હિન્દીમાંથી ગુજરાતીમાં અનુવાદિત લઘુકથા 'ઓનલાઇન જિંદગી' નું પઠન:
https://youtu.be/3ox3BOYkfUE?si=_QoHkAdUXTvnzw-B
◾વિસ્મય ચેનલ દ્વારા હિન્દીમાંથી ગુજરાતીમાં અનુવાદિત લઘુકથા 'કરેલુ પાછું આવે છે.' નું પઠન:
https://youtube.com/watch?v=jjbG1lDlPWw&feature=share7
◾વિસ્મય ચેનલ દ્વારા લઘુકથા 'થરથરાટ' અને 'ઊર્મિ'નું પઠન:
https://youtu.be/bgYHms22ZtM
◾વિસ્મય ચેનલ દ્વારા લઘુકથા 'ટકોરો' અને 'એ જ...'નું પઠન:
https://youtu.be/zq0iN0zFXk0
◾વિસ્મય ચેનલ દ્વારા લઘુકથા 'માગણ' અને 'ડાયરી'નું પઠન:
https://youtu.be/wmdAzm8QD3o
◾વિસ્મય ચેનલ દ્વારા લઘુકથા 'સ્વતંત્રતા' અને 'અને પછી...'નું પઠન:
https://youtu.be/nWYCVeSr9b8
◾ માસ્ટરની મનગમતી વાતો ચેનલ પર લઘુ કથાઓ 'ટકોરો', 'કેમ કરીને એ' અને 'ઉડને બેટા' નું શ્રી સુનીલભાઈ ગોહિલ દ્વારા પઠન:
◾Storytelling by Harshadray Padiya channel પર: લઘુકથા 'તડકો અને છાંયડો' નું પઠન:
https://youtu.be/mhWH7DeOM24?si=_MrmX3nNueW9CzGs